Live 24 News Gujarat
જુઓ ગુજરાતના મહત્વના સમાચારો
Responsive Menu
Add more content here...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવ્યો

Written by

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે  હનુમાન મંદિર કેમ્પ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘હનુમાન યાત્રા’ને શહેરના સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિરથી પ્રસ્થાન કરાવ્યું હતું.મુખ્યમંત્રીએ આ હનુમાન યાત્રાને પ્રસ્થાન કરાવી એ વેળાએ આર્મીના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નરોડાના ધારાસભ્યશ, મણીનગરના ધારાસભ્ય તેમજ કોર્પોરેટરઓ અને  મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા.6 એપ્રિલના રોજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે આજે બુધવારે શહેરના સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિરથી ‘હનુમાન યાત્રા’ નીકળી છે.શાહીબાગ કેમ્પ હનુમાન મંદિરથી આ યાત્રા પ્રારંભ થયા બાદ શાહીબાગ, વાડજ,  ઉસ્માનપુરા, આશ્રમ રોડ, પાલડી ચંદ્રનગર થઈ વાસણા વાયુદેવતાના મંદિર પહોંચશે.વાયુ દેવતાના મંદિરે ભોજન પ્રસાદ ગ્રહણ કર્યા બાદ આ યાત્રા નિજ મંદિરે જવા રવાના થશે અને ધરણીધર, માણેકબાગ, નહેરુનગર, પાંજરાપોળ ચાર રસ્તા, વિજય ચાર રસ્તા,  ઉસ્માનપુરા,  આરટીઓ સુભાષબ્રિજ થઈને સાંજે નિજ મંદિરે પરત ફરશે.આ યાત્રામાં શણગારેલી ટ્રકો તેમજ વિવિધ પ્રકારના ટેબલો પણ જોવા મળ્યા હતા.

Article Categories:
ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *